પુરાણ કેટલાં ‘ પુરાણા ‘  છે ?

પુરાણ કેટલાં ‘ પુરાણા ‘  છે ?

પુરાણ વિશે વાત કરીએ ત્યારે આજે ઘણાં શિક્ષિત લોકો તેને માત્ર કથાઓ જ માને છે. જોકે વાસ્તવિકતા કંઇક અલગ જ છે ! ચાલો આજે આપણે આપણાં જ પુરાણો વિશે તેની પ્રાચીનતા વિશે જ્ઞાન મેળવવા પ્રયાસ કરીએ !

પુરાણની પ્રાચીનતા

ભારત દેશમાં પુરાણ ગઈ કાલની રચના સાબિત કરવાની ફેશન થઈ ગઈ છે. જોઈએ કેટલા પુરાણા છે આપણાં પુરાણ !

૦૧ નવમી શતાબ્દીની મનુ સ્મૃતિ ભાષ્યકાર ભટ્ટ મેધાતિથિ  પોતાનાં ભાષ્યમાં લખે છે કે –  पुराणानि व्यासादिप्रणीतानि ।

૦૨ સવંત ૬૮૭ આસપાસ થઈ ગયેલાં આચાર્ય સ્કંદ સ્વામી પુરાણોના અનેક શ્લોક પ્રમાણ રૂપે લખે છે. આ શ્લોક આજના પુરાણોમાં પણ થોડા પાઠાંતર સાથે મળે છે.
૦૩ . વિક્રમ સવંત ની પ્રથમ શતી પણ પહેલાં થઈ ગયેલા ઈશ્વર કૃષ્ણ રચિત સાંખ્ય કારિકા ૨૩ ભાષ્યમાં આચાર્ય ગૌડપદ पुराणानि પદનો પ્રયોગ કરે છે. આચાર્ય દુર્ગ ( પાંચ શતી વિક્રમ સવંત પૂર્વ ) वसिष्ठोत्पत्ति સબંધી એક કથાનક ભાવથી લખે છે –  इति पुराणे श्रूयते।’ આ કથા મત્સ્ય પુરાણ ૨૦/૨૩/૨૬ માં આજે પણ મળે છે.
૦૪ . વિક્રમ સંવતની પહેલી શતાબ્દીમાં થઈ ગયેલાં આચાર્ય વરરુચિ પોતાના निरुक्तसमुच्चय માં લખે છે – तथा चाहुः पौराणिकाः ।
૦૫ . બ્રાહ્મણ સમ્રાટ શુદ્રક જે વિક્રમથી લગભગ ૪૦૦ વર્ષ પહેલા થઈ ગયા તે પોતાનાં પદ્મપ્રાભૃતકમાં લખે છે કે – भो अषो पुराणकाव्यपदच्छेद-
૦૬. ન્યાયભાષ્યકાર વાત્સ્યાયન ( કૌટિલ્ય ) અજાણ્યાં પ્રાચીન બ્રાહ્મણ ગ્રંથનું આ વાક્ય લખી ગયા છે કે – प्रमाणेन खलु ब्राह्मणेनेतिहासपुराणस्य प्रामाण्यमभ्यनुज्ञायते-ते वा खल्वेते अथर्वङ्गिरस एतदिहासपुराणमभ्यवदन् । इतिहासपुराणं पञ्चमं वेदानां वेद इति । ४ । १ । १६२ ।।

જેનો અર્થ થાય કે અથર્વાઅંગિરસ ઋષિ જ હતાં જેમણે પુરાણ અને ઇતિહાસનું પ્રવચન કર્યું. અહીંયા ઇતિહાસ પુરાણ વિદ્યાનું વર્ણન નથી પણ ઇતિહાસ પુરાણ ગ્રંથનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિંટરનીજનો ભય તેના કલ્પિત મત અને તેની નિ: સારિતાનો અનુભવ કરતા કરતા પોતે જ લખે છે કે – There is no proof, however, that such collections (of Itihāsas and Puranas) actually existed in the form of “books” in Vedic times. (Indian Lit. p. 313.) the “Itihāsas and Puranas,” or
“Itihāsapurāna ” so often mentioned in olden times, do not mean actual books, still less, than
epics or Purānas which have come down to us. (p. 518)

હવે આ વિધાનને જરા વિશેષ રીતે સમજવા તેના પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષને સમજીએ.

પૂર્વ પક્ષ – એટલે કે બ્રાહ્મણ ગ્રંથના સમયમાં ઇતિહાસ , પુરાણ વિદ્યમાન હતાં એનું કંઈ પ્રમાણ નથી. અને બ્રાહ્મણ ગ્રંથોમાં પણ જે ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની સાથે વાસ્તવિક પુસ્તકોનો અભિપ્રાય છે નહીં. સાથે સાથે વર્તમાન પુરાણ અથવા ઇતિહાસનો અભિપ્રાય તો લઈ જ નાં શકાય !

ઉત્તર પક્ષ – જ્યારે બ્રાહ્મણ ગ્રંથ પોતે જ પુસ્તક  – ગ્રંથના રૂપમાં અસ્તિત્વમાં છે તો તેમાં ઉલ્લેખિત ઇતિહાસ , પુરાણ શા માટે ગ્રંથ સ્વરૂપમાં નાં હોઈ શકે ? જો તે પુસ્તક કે ગ્રંથ સ્વરૂપમાં નોહતા તો કંઠસ્થ સ્વરૂપમાં પણ તેમનું અસ્તિત્વ હતું અને હતું જ ! તો પછી તેનો સ્વીકાર કરવામાં તકલીફ કેમ ? એક વાત જરૂર વિચારો કે જો ઋષિ મુનિ સાંખ્યનાં વિપુલ શાસ્ત્ર , તર્ક શાસ્ત્ર , વાણિજ્ય શાસ્ત્ર અને આયુર્વેદ શાસ્ત્ર વર્તમાન સમયથી પહેલાં લખી શકે છે તો શું તેઓ ઇતિહાસ , પુરાણ જ કેમ ના લખી શકે ? પશ્ચિમના આ પક્ષપાત પર આશ્ચર્ય થવું જોઈએ ! જે પ્રમાણે અનેક પ્રકારના બ્રાહ્મણ ગ્રંથ , વ્યાકરણ ગ્રંથ અને ધર્મ શાસ્ત્ર આદિ પ્રોકત થયેલાં છે તે જ પ્રમાણે અનેક ઇતિહાસ પુરાણ પણ હતા જ. જોકે વર્તમાન વાયુ પુરાણ જેવા બીજા પુરાણ , ઉપનિષદ્ અને બ્રાહ્મણ ગ્રંથથી પ્રાચીન નથી પણ તેમનું મૂળ રામાયણ ઇતિહાસ વર્તમાન બ્રાહ્મણથી તો પ્રાચીન છે જ. આ મૂળ પ્રોકત હતા અને તેનાથી પણ પહેલાં અતિ પ્રાચીન કાળમાં પણ ઇતિહાસ , પુરાણ હતાં જ. 
હવે તમે એમ કહેશો કે ‘ ભાષા વિજ્ઞાન ‘ આ વાતને નથી માનતું ! તો અમારો જવાબ એ છે કે તમારું ભાષા વિજ્ઞાન જ કલ્પિત છે , વિજ્ઞાન નામ જેવી કંઈ વાત એમાં નથી ! તે માત્ર એક મત છે ! તેની વાત પણ વિસ્તારથી કરીશું !

આથી વિંટરનીજ નો લેખ પ્રતિજ્ઞા પત્ર સિવાય કંઈ છે જ નહીં ! જ્યારે પશ્ચિમના લેખકો પોતાનાં કથનની પુષ્ટિ માટે મિથ્યા ભાષા મત સિવાય કોઈ અન્ય હેતુ સામે લાગે તો કંઈ થાય બાકી તો રામ ભાઈ રામ !

વાત્સાયન અનુસાર ઇતિહાસ અને પુરાણનાં લેખક જ મંત્ર બ્રાહ્મણ નાં દ્રષ્ટા હતા — य एव मन्त्रब्राह्मणस्य द्रष्टारः प्रवक्तारश्व (प्रवक्तारः) ते खल्वितिहासपुराणस्य धर्मशास्त्रस्य चेति ।

બ્રાહ્મણ ગ્રંથમાં વર્ણિત ઇતિહાસ અને પુરાણનાં પ્રવકતા અથર્વા અંગીરસ કોણ હતાં એની વાત કરીએ …!

(ક) કાવ્ય ગ્રંથોનાં પ્રસિદ્ધ ટીકાકાર મલ્લીનાથ કિરાતાર્જુનીય काव्य ग्रन्थों का प्रसिद्ध टीकाकर मल्लिनाथ किरातार्जुनीय ૧૦/૧૦ ની ટીકા કરતા લખે છે કે – अथर्वणा वसिष्ठेन कृता रचिता पदानां पक्तिरानुपूर्वी यस्य स वेदः चतुर्थवेद इत्यर्थः । अथर्वणस्तु मन्त्रोद्धारो वसिष्ठकृत इत्यागमः ।

આ પંક્તિ થી સ્પષ્ટ થાય છે કે વશિષ્ઠ અને તેમના કુળ અથર્વા પણ કહેવાય છે.
(ખ) અથર્વા અને ભૃગુ લોકો એક હતા . મત્સ્ય પુરાણ ૫૧/૧૦માં કહ્યું છે – भृगो प्रजायताथर्वा स्यङ्ग्राथर्वणः स्मृतः ।

પુરાણમાં ૧૬ ભૃગુ ઋષિ કહેવામાં આવ્યા છે. તેમાંથી કાવ્ય ઉશના અને સારસ્વત ધ્યાનમાં લેવા જેવા છે. શતપથ બ્રાહ્મણ ૪/૧/૫/૧ અનુસાર ચ્યવન ભાર્ગવ છે તો અંગિરસ પણ ભાર્ગવ છે !
(ગ) પુરાણમાં ૩૩ અંગિરા ઋષિ કેહાવમાં આવ્યા છે. તેમાં બૃહસ્પતિ , શરદ્વાન , ભરદ્વાજ અને વાજશ્રવા સંશોધન કરવા જેવા છે.
(ઘ) અથર્વા અથવા વશિષ્ઠ કુળમાં શકતી , પરાશર અને દ્વૈપાયન નામ પણ ધ્યાનમાં લેવા જેવા છે.
(ચ) રામાયણનાં કર્તા રૂક્ષ અથવા વાલ્મીકિ એક ભાર્ગવ હતાં. તે અથર્વા સાથે જોડાયેલાં છે. તે અંગીરસ પણ છે.

આ પ્રમાણે કાવ્ય ઉશના , બૃહસ્પતિ , સારસ્વત , શરદ્વાન , ભરદ્વાજ , વાજશ્રવા , વશિષ્ઠ , શક્તિ , પરાશર , દ્વૈપાયન અને રૂક્ષ અથવા વાલ્મીકિ આ ૧૧ નામ સંશોધન કરવા લાયક છે.
(છ) અથર્વા અંગીરસ ઋષિયોમાં પૂર્વોકત અગિયાર નામ એવા છે જે વાયુ પુરાણમાં આપેલ સૂચિ મુજબ ઇતિહાસનાં પ્રવચન કરનારા હતા ! વાયુ પુરાણ ૨૩/૧૧૪-૨૨૬ સુધી બધા વ્યાસ ની એક પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંતમાં પુરાણ કહેનારા ઋષિઓની આ પરંપરા સાથે મળતી આવતી પરંપરા નીચે મુજબ આપેલી છે.

1 બ્રહ્મા
2 માતરીશ્વ-વાયુ
3ઉષના
4 ગુરુ
5 સવિતા-વિવાસવન
6 મૃત્યુ = યમ, વિશ્વાસુ પુત્ર
7 ઇન્દ્ર
8વસિષ્ઠ
9સારસ્વત
10 ત્રિધામા
11 પાનખર*
12 જગ્યા
13 વર્ષ
14 ધનંજય
15 ભારદ્વાજ
16 કૃતજ્ઞતા
17 ગૌતમ
18 સોમશુષ્મ
19 પાવર*
20 વજશ્રવ*
21 ત્રિકોણ
22 પરાશર
23 રિક્ષા વાલ્મીકિ
24 જટુકર્ણ
25 દ્વિપાયન
26 ત્રિવિશ
27 ટ્રાયયારુન

આ નામમાંથી ૧૧ નામ ઉપર આવી ગયા છે. આ જ ઋષિ મુનિઓએ તે દિવ્ય ઇતિહાસ અને પુરાણ લખ્યા છે જેનો ઉલ્લેખ કૃષ્ણ દ્વૈપાયન દ્વારા पुराणैः कविसत्तमैः પદમાં કર્યો છે. ઉપનિષદ્ અને બ્રાહ્મણ ગ્રંથોની રચના કરનારા ઋષિ મુનિઓ પોતાની પરંપરા ખૂબ જ સારી રીતે જાણતાં હતાં. તેઓમાંથી એક વાલ્મીકિ અથવા એક વ્યાસ નામની સાથે અથર્વા અંગીરસ કહીને પુરાણ નું પ્રવચન કરનારાં ઋષિ મુનિઓનું  સ્મરણ કર્યું છે. નક્કી તે બધા ભાર્ગવ વાલ્મીકિ થવા રૂક્ષ ની રામાયણ અથવા વાયુ પુરાણને જાણતાં હતાં જ. આ જ કારણે મહાભારત , આરણ્યક પર્વ અધ્યાય ૨૦૭ થી એક આરંભ થાય છે. જેને અંગીરસ પર્વ નામ આપવામાં આવેલું છે. આરણ્યક પર્વ ૨૦૭/૫ અને  ૧૮૮/૫ માં માર્કાંડય ને ભૃગુ નંદન કહેવામાં આવ્યા છે. આથી જ આપણે કહી શકીએ કે તે ભાર્ગવ કાં અંગીરસ હતા !
૦૭ પતંજલિ પોતાનાં વ્યાકરણ મહા ભાષ્ય માં પુરાતન વાગમ્યનાં ગુણગાન કરતાં લખે છે કે — वाकोवाक्यमितिहासः पुराणं वैद्यकमिति ।

૦૮ . કૌટિલ્ય પણ પુરાણોને જાણતાં હતા –  इतिहासपुराणाभ्यां बोधयेदशास्त्रवित् ।

ફરી કૌટિલ્ય પોતાના પ્રસિદ્ધ વાક્યમાં પૌરાણિક સૂત અને સારથી સૂતનો ઉલ્લેખ કરી તે બન્ને વચ્ચેનો ભેદ કહે છે. पौराणिक-स्त्वन्यःसूतः
૦૮. સ્કંદ , શુદ્રક , પતંજલિ અને વાત્સ્યાયન અથવા કૌટિલ્ય કાળથી ઘણાં સમય પહેલાં યાજ્ઞવલ્કય સ્મૃતિ નાં કર્તા ને પણ પુરાણોનું જ્ઞાન હતું !
૧૦. પાનિણી મુનિના કેટલાક સમય પહેલાં કાષ્યપિય પુરાણસંહિતા પણ હતી ! આ નામ ચાંદ્ર વ્યાકરણ ૩/૩/૭૧ ની વૃત્તિ અને ભોજ કૃત સરસ્વતીકંઠભારણ ૪/૩/૨૨૬ ની મારું દંડનાથ રચિત ટીકા માં પણ તેનો ઉલ્લેખ મળી આવે છે. વાયુ ૬૧/૫૮ માં કાષ્યપને સંહિતા કર્તા માનવામાં આવ્યા છે. વિષ્ણુ પુરાણની શ્રીધર ટીકા પૃષ્ઠ ૩૬૬ પર અકૃતણ જ કશ્યપ છે.
કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે પણ એક પુરાણ સંહિતા બનાવી હતી  તેને તેમણે પોતાના છ શિષ્યોને ભણાવી હતી. આ છ માથી એક શિષ્ય અકૃતણ કશ્યપ હતા ! તેમની જ એક સંહિતા કાશ્યપિય સહિતા હતી !

૧૧. ગૌતમ ધર્મ સૂત્ર ભાષ્યકાર મસ્કરી સૂત્ર ૧/૩૬ નાં ભાષ્યમાં  કણ્વ ધર્મ સૂત્રમાં લખે છે – अथर्ववेदेतिहासपुराणानि ध्यायन्….. । इति । તેથી સ્પષ્ટ છે कण्वधर्मसूत्रकार નાં કર્તા ને પણ અનેક પુરાણોનું જ્ઞાન હતું !

અથર્વવેદનાં ઈતિહાસ અને પુરાણ વચ્ચે ઘનિષ્ઠ સબંધ છે. બ્રાહ્મણ ગ્રંથ , ગૃહ્ય સૂત્ર અને ધર્મ સૂત્રોમાં ઇતિહાસ પુરાણની સાથે સાથે અથર્વવેદનો પણ ઉલ્લેખ મળી આવે છે.
૧૨. ગૌતમ ધર્મ સૂત્ર ૮/૬ वाकोवाक्य-इतिहास-पुराण-कुशलः , ૧૧/૨૧ માં તો પુરાણ શબ્દ સ્પષ્ટ લખ્યો છે.
૧૩  આપસ્ત્મ્બધર્મસૂત્ર અને  વાયુ પુરાણ માં ૧/૧૩/૧૬ , ૧૪ માં કોઈ પુરાણમાંથી બે શ્લોક ઉદ્ઘૃત કરવામાં આવેલા છે. જે શ્લોક વાયુ પુરાણ ૫૦/૨૧૩ , ૨૧૫ , ૨૧૮ , ૨૨૦ અને ૬૧/૬૬-૧૦૧,૧૨૨,૧૨૩ અને મત્સ્ય ૧૨૪/૬૬-૧૨૪ માં ખૂબ જ સમાનતા છે. વર્તમાન વાયુ પુરાણનો પાઠ થોડો વિકૃત જરૂર છે. આપસ્ત્મ્બધર્મસૂત્ર ૧/૧૦/૨૭ માં કોઈ પુરાણનો ગદ્ય વચન અને ૨/૬/૨૪માં ભવિષ્ય પુરાણ નું વચન ઉદ્ઘૃત કરવામાં આવેલું છે –  पुनःसर्गे बीजार्था भवन्ति, इति भविष्यत्पुराणे

આ વચન વાયુ પૂરાં ૮/૨૪ અને બ્રહ્માંડ પુરાણ પૂર્વ ભાગ ૭/૨૪ માં પણ મળે છે – प्रवर्तन्ते पुनः सर्गे बीजार्थं ता भवन्ति हि । આ સરખામણી દર્શાવે છે કે આપસ્ત્મ્બધર્મસૂત્ર નું આ વચન વાયુ પુરાણમાંથી લીધું છે અથવા આપસ્ત્મ્બધર્મસૂત્ર ને વાયુ પુરાણ નાં બન્ને વચન કોઈ પ્રાચીન પુરાણમાંથી આધાર તરીકે લેવામાં આવેલા છે. ઉત્તર પક્ષમાં કહેવું પડે કે વર્તમાન વાયુ પુરાણનો મોટો ભાગ નવો નથી પણ પ્રાચીન છે. જે આજે પણ સંશોધનની રાહમાં છે.
વિંટરનીટજ પોતાનાં ઇતિહાસ પૃષ્ઠ ૫૧૩ અને કાણે. પોતાનાં ધર્મ શાસ્ત્ર ઇતિહાસ નાં પ્રથમ ભાગના પૃષ્ઠ નંબર ૧૬૦ પર લખે છે કે વાયુ પુરાણ નાં પાઠમાં વિશેષ સાદર્ષ્યનો સંકેત નથી !
આ પસ્ત્મ્બધર્મસૂત્રમાં પુરાણ વચન કેમ ઉધૃત થયા છે ? આપસ્ત્મ્બ ભાર્ગવ અને અંગીરસ છે જે પુરાણનાં પ્રવકતા હતા એવો ઉલ્લેખ આવે છે. આથી આપસ્ત્મ્બ પુરાણ વચન ઉદ્ઘૃત કરે એ ખૂબ સ્વાભાવિક છે.
૧૪. તથાગત બુદ્ધથી ખૂબ પહેલાંની ચરકસંહિતાનાં સૂત્ર સ્થાન ૧૫/૭ અને શરીર સ્થાન અને અધ્યાય ૪/૪૪ માં લખ્યું છે કે- श्लोकाख्यायिकेतिहसपुराणेषु कुशलम् ।

આ શ્લોક બ્રાહ્મણ ગ્રંથોમાં પણ ઉદ્ઘૃત થયેલાં છે. તેના અલગ ગ્રંથ હતાં. આ પરથી સાબિત થાય છે કે ભારતમાં પ્રાચીન સમયમાં પણ અનેક પુરાણ હતાં !
૧૫ નારદ સ્મૃતિ નાં ભાષ્યકાર ભવસ્વામી અનુસાર નારદ સ્મૃતિના ૨૦૪,૨૦૫ શ્લોક પુરાણ માંથી ઉદ્ઘૃત કરેલાં છે.
૧૬. મહાભારતના ભીષ્મ પર્વ ૬૧/૩૬ માં પુરાણ ગીત નામનો પાઠ છે.
૧૭. કેટલાંક ધર્મ શાસ્ત્રોનાં પૂર્વવર્તી  આરણ્યક અને બ્રાહ્મણ ગ્રંથોમાં પણ વાયુ પુરાણ નો ઉલ્લેખ મળે છે – ब्राह्मणानीतिहासान् पुराणानि कल्पान् गाथा नाराशंसीः । तै. आ. २ । ६ ।।

तानुपदिशति पुराणं वेदः सोऽयमिति किञ्चित्पुराणमाचक्षीत् । शतपथ १३ | ४ | ३ । १३ । ।
यदनुशासनानि…इतिहासपुराणं गाथा.. । शतपथ ११ । ५। ६ । ८ ।।
१६. भगवान् पराशर अपनी ज्योतिष संहिता में लिखते हैं-
वेदवेदांगेतिहास- पुराण-धर्मशास्त्रावदातम् ।’

૧૮. વાલ્મીકિ રામાયણના બાલકાંડ અધ્યાય ૮ માં ગ્રંથવાચી પુરાણ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે-
एवमुक्तो नृपतिना सुमन्त्रो वाक्यमब्रवीत् । नरेन्द्र श्रूयतां तावत् पुराणे यन्मया श्रुतम् । ।५ ।।
सनत्कुमारो भगवान् पुरा कथितवान् कथाम् । भविष्यं विदुषां मध्ये तव पुत्रसमुद्भवम् ।। ६ ।।
કિષ્કિંધા કાંડ ૬૨/૩ માં પણ પુરાણ ને યાદ કરવામાં આવ્યા છે. काण्ड ६२ । ३ में भी पुराण स्मरण क
૧૯ છાંદોગ્ય ઉપનિષદ ૭/૧/૧ અનુસાર ભગવાન સનતકુમાર ઉપનામ સ્કંદ ની પાસે જનારા નારદ મુનિ ઇતિહાસ પુરાણને જાણતાં હતાં.  આથી જ એમના દ્વારા રચિત સ્મૃતિમાં પણ પુરાણ આધારિત અનેક શ્લોક મળી આવે છે.
૨૦. ભરત મુનિ કૃત નાટ્ય શાસ્ત્ર ૧૩/૪૮ માં ભૂવૃતનું કથન છે.
૨૧. અથર્વવેદ ૧૫/૩૦/૧ માં અનેક વિદ્યાઓ સાથે સાથે પુરાણ શબ્દ પણ ઉલ્લેખિત થયેલો છે – तमितिहासं च पुराणं ।

યાદ રાખવું જોઈએ કે અથર્વવેદથી અથર્વ અંગિરા કે ભૃગ અંગિરા ઋષિ નો જ સબંધ વધુ છે. તેમણે જ અથર્વવેદમાંથી  ઇતિહાસ અને પુરાણ વિદ્યા નિર્માણની શિક્ષા લીધી હતી !

યવન મેગસ્થનીજ પણ પુરાણ વિશે જાણતો હતો ! 

મેગસ્થનીજ નાં ઉદ્ધરણનું જે સંસ્કરણ કલકતામાં છપાયું છે તેના પૃષ્ઠ નંબર ૩૪ અને ૩૫ માં જે પાઠ છે તે પુરાણ તતસબંધી પાઠોનું અનુવાદ માત્ર છે પણ આ તરફ કોઈ વિદ્વાન ધ્યાન આપતાં નથી ! આથી સિદ્ધ થાય છે કે વિક્રમથી અનેક સો વર્ષ પહેલા પૂર્વ પુરાણોનાં અનેક સિદ્ધાંત સર્વ સાધારણ લોકોમાં પણ ખૂબ જ માન્ય હતાં !

Sharing Is Caring:

1 thought on “પુરાણ કેટલાં ‘ પુરાણા ‘  છે ?”

Leave a Comment